CCE MAINS QUESTION PART 2.
ઇતિહાસ. જલિયાંવાલા બાગ હત્યાકાંડ (13 એપ્રિલ, 1919) વિશે વિસ્તાર જણાવો. } પંજાબમાં અમૃતસરમાંથી લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડો. કિચલૂની ધરપકડ થઈ. તેના વિરોધમાં વૈશાખીના તહેવારના દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાંવાલા બાગમાં એક સભાનું આયોજન થયું હતું. } લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનીલ ડાયર ત્યાં પહોંચી ગયો. કોઈ જ પૂર્વચેતવણી આપ્યા વગર મશીનગનમાંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાવ્યો! બાગની ચારે બાજુએ ઊંચી દીવાલો, વચ્ચેઅવાવરુ કૂવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા. } સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા અને1200 ઘવાયા; જ્યારે કોંગ્રેસે નીમેલી તપાસ સમિતિના મતે1000માણસો માર્યા ગયા હતા..